અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ શહેરમાં આવેલ જમાલપુર વિસ્તારમાં ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાના બદઇરાદાથી કાચની મસ્જિદ ખાતેના બિલ્ડર બિલાલ શેખ અને તેના મળતીયાઓ જેમાં બાબુભાઈ શાહ, મોહમ્મદ પઠાણ, નિઝામુદ્દીન, જીશાન કાદરી, રોહન ઈમ્તિયાઝ અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા બાબતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ ૭ ઇસમો વિરુદ્ધ આઇ.પી.સી. ની કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦ (બી) અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.