
અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદી હુમલામાં થયેલ ધાર્મિક નરસંહાર અંતર્ગત આપણા સમાજ ના ભાવનગરના કાડીયાબીડના વતની યતિષભાઈ પરમાર તથા તેમના પુત્ર સ્મિત પરમાર ની નિર્મમ હત્યા કરાયી…
જેને અનુલક્ષી ગુજરાત ઋષિવંશી સમાજ તથા નાયીમંચ ગુજરાત દ્વારા આપણા સમાજ બંધુઓની કરાયેલ નિર્મમ હત્યા તથા તેઓને શ્રધ્ધાંજલી રૂપે તથા પાકિસ્તાન પ્રેરિત કરાયેલ ધાર્મિક આતંકવાદના વિરોધ સ્વરૂપે.. તા.૨૬/૪/૨૦૨૫ ને શનિવારના રોજ સાંજે ૬:30 કલાકે પાલડી ચાર રસ્તા પાસે શ્રધ્ધાંજલી રૂપે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે…આપણા વાળદ સમાજના યતિષભાઈ તથા સ્મિતને સમર્પિત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ સમસ્ત ભારત વર્ષ માટે કલંક રૂપ બનેલ પાકિસ્તાન પ્રેરિત ધાર્મિક આતંકવાદના વિરોધ પ્રદર્શન કરતી આ કેન્ડલ માર્ચ માં સમસ્ત વાળંદ સમાજને પોતાની વિશેષ ઉપસ્થિતિ આપવા અમારું આહવાન છે…આપ આપના મિત્રો- પરિજનો સહિત સમયસર ઉપસ્થિત રહેશો તેવું નમ્ર નિવેદન..
રાજેન્દ્રપ્રસાદ એસ. શર્મા
ઋષિવંશી સમાજ ગુજરાત પ્રદેશ
રાજેન્દ્રભાઇ ઇમ્પ્રેશન
મહામંત્રી શ્રી…ઋષિવંશી સમાજ ગુજરાત પ્રદેશ
નરેન્દ્ર એમ.પારેખ
કો-ઓર્ડીનેટર – નાયી મંચ ગુજરાત
કલ્પેશ એન.પારેખ
કો-ઓર્ડીનેટર – નાયી મંચ ગુજરાત