

જન સમૃદ્ધિ ન્યૂઝ..
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૦૭-૦૫-૨૦૨૫
પહેલગામ ખાતે તા. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જે આતંકી હુમલો થયો હતો. તેમાં અનેક નિર્દોષ લોકો મોત ને ભેટ્યા હતા, આ આતંકી હુમલા થી આખા દેશમાં વિરોધ પ્રદર્શન થયું હતું.
આ હુમલાનો વળતો જવાબ ગણતરીના દિવસોમાં ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર નામ આપી.. પાકિસ્તાનની ધરતીમાં ઘૂસીને નરાધમ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો તે બદલ અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં ભુષણભાઈ ભટ્ટની આગેવાનીમાં ખાડિયા વિસ્તારની પ્રજા સંગઠિત થઈને વહેલી સવારે આ હુમલાને આવકારી નરેન્દ્ર ભાઈ મોદીના આ નિર્ણયને બિરદાવ્યો હતો…
