
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાળની પોળમાં સોનું – ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો હોવાની ચોંકાવનારી મહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.

જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી ઝોન ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અને તપાસમાં જો ગેસના બાટલાનો અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી ગે. કા. કાર્યરત હોવાનું માલૂમ પડે ! તો તમામ એકમો કાયમી ધોરણે બંધ કરવાના આદેશ મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનર અને આસી. મ્યુ. કમિશ્નર દ્વારા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..
હવે એ જોવાનું રહ્યું કે આ ક્ષેત્રપાડની પોળમાં કાર્યરત ભઠ્ઠીઓ સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી હાથ ધરાય છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ.