મ્યુનિસિપલ કમિશનરના ઓફિસ ઓર્ડર મુજબ ઝોનલ કચેરીઓમાં વહીવટી વડા તરીકે ફરજ બજાવતા મોટાભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શોભાના ગાંઠીયા સમાન ! જાગૃત નાગરિકો..

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મહાનગર પાલિકામાં જાહેર રસ્તાઓ ઉપર મ્યુનિસિપલની માલિકીની જમીનો ઉપર થયેલ બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી અને ખાનગી માલિકીની જમીન ઉપર થયેલ બિનઅધિકૃત બાંધકામો અંગે ધી જીપીએમ સી ઍક્ટની કલમ ૨૬૭ તથા ૨૬૦ ની જોગવાઈઓ મુજબ પગલાં લઈ, નોટિસોની ખાતાકીય અમલીકરણની કામગીરી કરાવવાની તમામ સત્તા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપેલ છે.
ખાડિયા-૨ વોર્ડમાં સામસંગાની પોળના નાકે, રણછોડજી મંદિર પાસે, સારંગપુર ખાતેના કાર્યરત બાંધકામમાં નિયમો અને શરતોનો ભંગ થઈ રહ્યો હોવાની જન સમૃદ્ધિ ન્યુઝ ને માહિતી મળતા.. જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, નગર વિકાસ અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટને આ બાંધકામમાં ગેરરીતિઓ ચાલતી હોવાથી સીલ કરી તેને દૂર કરવા માટે ફરિયાદો કરેલ હતી.
તેમ છતાં ખાડીયા-૨ વોર્ડ ઇન્સ્પેક્ટર કાયદાનો અમલ કરતા ન હોવાથી, જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૨૯-૦૧-૨૫ ના રોજ માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી, આરટીઆઇની અરજી કરેલ હતી. આર.ટી. આઇના કાયદા મુજબ અરજીનો જવાબ ૩૦ દિવસમાં ફરજિયાત આપવાનો હોય છે. પરંતુ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપેલ ન હતો.
આમ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૨ વોર્ડમાં એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં કાયદાનો અમલ કરતા નથી ! અને પછી જાગૃત નાગરિકોને જ દોષિત ઠેરવવામાં આવે છે.
માટે આ અહેવાલ પ્રસિદ્ધ થયથી તાકીદે આ કાર્યરત બાંધકામને સીલ કરી, ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ કડકરાહે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરના ઓફિસ ઓર્ડર મુજબ ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અને શોભાના ગાંઠિયા સમાન એ.સી. ચેમ્બરમાં બેસી, કાયદાનો અમલ ન કરાવનાર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સામે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપે તેવી સ્થાનિક પ્રજાની માંગ ઉઠવા પામી છે.