
જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૨-૦૯-૨૦૨૩
ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં જવાબદાર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કાયદાનો અમલ ના કરે ! અને ઉચ્ચ અધિકારીઓ હાથ ઉપર હાથ ધરી બેસી રહે તો સમજવું શું ?
આવું જ કંઈક ખાડિયા-૨ વોર્ડમાં, નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે હેરિટેજ ઇમારતને રીપેરીંગના ઓથા હેઠળ નિયમો અને શરતો વિરુદ્ધ કામગીરી કરવાથી હેરિટેજ વિભાગ દ્વારા નોટિસો અને સીલ મારેલ હતું. તેમ છતાં એન્જિનિયર અને માલિક દ્વારા કાયદાનો ભંગ કરી સીલ તોડી આ હેરિટેજ ઇમારતનો વપરાશ કમ્પ્લીશન સર્ટી મેળવ્યા વિના ચાલુ કરેલ હોવા બાબતે તંત્રનું વારંવાર ધ્યાન દોરેલ છે. તેમ છતાં મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તડવી આ નિયમ અને શરતોનો ભંગ કરેલ હેરિટેજ ઇમારતને કોના ઇશારાથી કાયદાનો અમલ કરતા નથી ? તેની વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય તેવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…