
જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૪-૦૮-૨૦૨૩
જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર જીત થતી હોય તેવું મસ મોટું જુગારધામ ચલાવી રહ્યા છે..!
આ જુગાર ધામમાં નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ ઘરભેગી કરી, યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું હોવાથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ જુગાર ધામને કાયમી ધોરણે બંધ કરાવવા માટે અહેવાલ રૂપી તારીખ ૨૩-૦૮-૨૩ ના રોજ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરેલ છે.

કહેવાય છે કે આ જુગાર ધામ ચાલુ રાખવા પાછળ અને આ જુગાર ધામ બંધ ના થાય તે માટે રાજકીય પીઠ બળ હોવાથી સ્થાનિક પોલીસ આ મસમોટા જુગાર ધામ ચલાવનાર બુટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરતી ન હોવાનું પણ જાણવા મળેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? તે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પીસીબી વિભાગને આ મસ મોટા જુગારધામને બંધ કરાવવાના આદેશ આપે.. તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
આગામી વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…