

જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૩-૦૮-૨૦૨૩
અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણુક થયા પછી મોટાભાગની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અમદાવાદની પ્રજા માટે ખુશીના સમાચાર હોઇ શકે..
પરંતુ જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ કે અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળ નો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા ખુબજ મોટાપાયે જુગારધામ ચાલી રહ્યું છે..

આ જુગાર ધામમાં જુગાર ચલાવવા માટે નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ નીકળતી હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? તેની તપાસ નવ નિયુક્ત પોલીસ કમિશ્નર મલેક દ્વારા આદેશ આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. આગામી વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…