


વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ .. તા. ૧૨-૦૫-૨૩
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ પ્રમુખશ્રીને રજૂઆત મળેલી કે એક્રિડીટેશન પત્રકારોને રેલવે મુસાફરીમાં ૫૦% કન્સેસન પહેલા મળતું હતું પરંતુ છેલ્લા બે અઢી વર્ષથી કંસેશનને કેન્દ્ર સરકાર દ્વારા અગમ્ય કારણોસર બંધ કરવામાં આવેલ છે, જેના કારણે પત્રકારને પ્રસાર પ્રચાર માટે અલગ અલગ જગ્યાએ જવાનું હોવાથી, તેમના ખર્ચામાં વધારો થાય છે. સરકાર દ્વારા મળતી આ સુવિધા જો ચાલુ કરવામાં આવે તો પત્રકારને આર્થિક લાભ થઈ શકે માટે પત્રકારોની વ્યાજબી માંગણીને માન આપી અમદાવાદ પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી હસમુખ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, મહામંત્રીશ્રી ભૂમિતભાઈ પંચાલ તેમજ કારોબારી સભ્યશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા અમદાવાદ પશ્ચિમ રેલવે ડીઆરએમ ઓફિસ ખાતે તા. ૧૨-૦૫-૨૦૨૩ના રોજ આવેદનપત્ર રૂપી રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ડી.આર.એમ.ઓ. અધિકારીશ્રી હાજર ન હોવાથી આ પત્ર ઈન્વર્ડ કરાવેલ છે. જેમાં પત્રકારને રેલ્વે મુસાફરી માટે પહેલા આપવામાં આવતી સુવિધા ચાલુ કરવામાં આવે તે અંગે પત્રકારો વતી રજૂઆત કરવામાં આવી હતી…
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…