News Channel of Gujarat

નિકોલ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર-૨ માં પાણીની અછતના કારણે પ્રજા ત્રાહિમામ…

નિકોલ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર-૨ માં પાણીની અછતના કારણે પ્રજા ત્રાહિમામ…
Views: 2040
0 0
Spread the love

Read Time:1 Minute, 25 Second

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તા. ૨૮-૦૪-૨૦૨૩

અમદાવાદ મહાનગર પાલિકાના નિકોલ વિસ્તારમાં ઇન્દિરા નગર-૨ માં લગભગ ૫૬ મકાનો આવેલા છે, ત્યાં આજે પાણીની સુવિધા ન હોવાને કારણે પ્રજાને વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે.
કહેવાય છે કે અમ. મ્યુ. કોર્પોરેશન દ્વારા ખોદ કામ કરીને ગયા છે, પણ જવાબદાર અધિકારીની ફરજ પ્રત્યેની બેદરકારી ને કારણે પાઇપ લાઈનનું કામ પૂરું ના કરાતા દરરોજ એક પાણીનું ટેન્કર મંગાવવું પડે છે.. જે ટેંકરનું પાણી પણ પીવા લાયક ન હોવાનું તેમજ આ પાણી તમામ મકાનોમાં પહોચતું ન હોવાનું જાણવા મળેલ છે.
ભારત સરકાર દ્વારા જે યોજના જળ પે નળ બહાર પાડેલ છે એ યોજનાનો કોઈ લાભ મળતો ન હોવાનું જાણવા મળેલ છે. તેમજ નિકોલ વિસ્તારમાં ચૂંટાઈને આવેલા કોઈ કાઉન્સિલર અમારી મુલાકાતે આવતા ન હોવાનું કે અમારી સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવે તે અંગે કોઈ જોવા આવતું ન હોવાની ચોંકાવનારી માહિતી મળેલ હતી…..

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નિકોલ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર-૨ માં પાણીની અછતના કારણે પ્રજા ત્રાહિમામ…

Spread the love

You may have missed