અમદાવાદ મહાનગર પાલિકાના બાહોશ મ્યું. કમિશ્નર કર્મચારીઓ ઓફિસમાં બેસી, પ્રજાની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવે… તે માટે અધિકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવા માટે પરિપત્રો, સર્ક્યુલરો અને આદેશો કરી રહ્યા છે, પરંતુ આ આદેશોનું પાલન વોર્ડના ઉચ અધિકારીઓ કરાવી રહ્યા છે કે નહી ! તેની દેખરેખ ઝોનના ઉચ અધિકારીઓ લઈ રહ્યા નથી ! તેવી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામેલ હતી..
જેથી જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુ ભાઈ પ્રજાપતિએ મળેલ ફરિયાદના અનુસંધાને આજ રોજ તા. ૧૫-૯-૨૫ ને સવારે લગભગ ૮-૩૦ કલાકે દરિયાપુર મસ્ટર ઓફિસની મુલાકાત લેતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે જે આપ નિહાળી રહ્યા છો..
નાની ગટરની ફરિયાદ નિવારણ ઓફિસ આખી ખાલીખમ કોઈ કર્મચારી કે અધિકારી દેખાઈ આવતું નથી ! પૂછવામાં આવ્યું તો અહીંયા ક્યાંક બહાર ગયા હશે ? ખબર નથી ? તેવા જવાબો મળ્યા..!
દરિયાપુર વોર્ડના ઇજનેર વિભાગના જવાબદાર અધિકારી આસી. સીટી ઇજનેર રવિભાઈને ફોન કર્યો પરંતુ ફોન ઉપાડેલ ન હતો. ત્યાર પછી આસી. ઇજનેર દરજી સાહેબને ફોન કરતાં તેઓને ફરિયાદ કરતા તેઓએ જણાવેલ કે હું જોવડાવી લઉં છું..
ત્યારે સવાલ એ થાય છે કે વોર્ડમાં ફરિયાદોનો સમયસર નિકાલ થાય છે કે કેમ ? અને નથી થતો તો તેના માટે જવાબદાર કોણ ? કર્મચારી કે અધિકારી બહાર રાઉન્ડમાં છે કે અન્ય કામથી બહાર છે તો મૂવમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ! તો પછી ઉચ અધિકારીઓ આ બાબતે શા માટે નિષ્ક્રિય છે ? તે તપાસનો વિષય બનવા જઈ રહ્યો છે !
માટે દરિયાપુર વોર્ડમાં સમયસર કર્મચારીઓ હાજર રહે અને પ્રજાની ફરિયાદનો સમયસર નિકાલ થાય તે જ આજના સમયની માંગ છે…!
દરિયાપુર ઓફિસમાં ચાલતી ગેરરીતિઓની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
