જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૮-૧૧-૨૩
દિવાળીના તહેવારો નિમિત્તે પ્રેસ અને મીડિયાના મિત્રો સાથે તારીખ 8 11 2023 ને બુધવારના રોજ બપોરે ૧૨ કલાકે લા સેરેમોની, પહેલો માળ, વન વર્લ્ડ કેપિટલ, રાજપથ ક્લબ પાછળ, બોડક, અમદાવાદ ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, મનીષભાઈ દોશી, મનહરભાઈ પટેલ, હિરેનભાઈ બેન્કર તથા કોંગ્રેસના મોટાભાગના આગેવાન નેતાઓ અને આમંત્રિત પત્રકાર મિત્રોએ સાથે રહીને સ્વરુચિ સ્નેહ ભોજન લીધું હતું.
આ સ્નેહ નિમંત્રણમાં જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ શક્તિસિંહ ગોહિલ અને મનીષભાઈ દોશીને મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.