October 1, 2023

અસારવા બ્રિજ નીચે રાણા ના કાર્યરત જુગારધામમાં પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી.. કાયમી ધોરણે આ બદી બંધ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉઠેલી માંગ ?

અસારવા બ્રિજ નીચે રાણા ના કાર્યરત જુગારધામમાં પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી.. કાયમી ધોરણે આ બદી બંધ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉઠેલી માંગ ?
Visitors 3808
0 0
Read Time:1 Minute, 55 Second

જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૪-૦૮-૨૦૨૩

જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર જીત થતી હોય તેવું મસ મોટું જુગારધામ ચલાવી રહ્યા છે..!

આ જુગાર ધામમાં નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ ઘરભેગી કરી, યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું હોવાથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ જુગાર ધામને કાયમી ધોરણે બંધ કરાવવા માટે અહેવાલ રૂપી તારીખ ૨૩-૦૮-૨૩ ના રોજ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરેલ છે.

કહેવાય છે કે આ જુગાર ધામ ચાલુ રાખવા પાછળ અને આ જુગાર ધામ બંધ ના થાય તે માટે રાજકીય પીઠ બળ હોવાથી સ્થાનિક પોલીસ આ મસમોટા જુગાર ધામ ચલાવનાર બુટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરતી ન હોવાનું પણ જાણવા મળેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? તે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પીસીબી વિભાગને આ મસ મોટા જુગારધામને બંધ કરાવવાના આદેશ આપે.. તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

આગામી વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અસારવા બ્રિજ નીચે રાણા ના કાર્યરત જુગારધામમાં પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી.. કાયમી ધોરણે આ બદી બંધ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉઠેલી માંગ ?